પાકિસ્તાને ભારતને આપી આવી ધમકી: ભારત કોઈ પગલું ભરશે તો તેનો જવાબ મળશે, નેતાઓ પાક.ને સ્થાનિક રાજકારણમાં લઈ જવાનું બંધ કરે
- 15 May, 2024
પાકિસ્તાને આજે ભારતને ચીમકી આપી છે. પાકિસ્તાને કહ્યું છે કે ભારતના નેતાઓએ તેમના ચૂંટણી લાભ માટે પાકિસ્તાનને સ્થાનિક રાજકારણમાં લઈ જવાનું બંધ કરી દેવું જોઈએ. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા પાકિસ્તાનને બંગડી પહેરાવવાનું નિવેદન આપ્યું હતું. તેના કારણે પાકિસ્તાન હાલ રોષે ભરાયું છે. વધુમાં ભારતે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું હતું કે જો ભારત કોઈ પગલું ભરશે તો તેનો જવાબ આપતા તે ખચકાટ અનુભવશે નહીં.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે પાકિસ્તાન અંગે વડાપ્રધાન મોદી અને અન્ય કેબિનેટ મંત્રીઓની ટિપ્પણીઓને લઈને એક નિવેદન જારી કરીને કહ્યું કે, 'અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને ભારતીય નેતાઓના આક્રમક નિવેદનો પર ધ્યાન આપવાનું આહ્વાન કરીએ છીએ. આ પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે ખતરો છે.
પ્રવક્તાએ કહ્યું કે ભારતમાં ચાલી રહેલા લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ભારતીય નેતાઓ દ્વારા પાકિસ્તાન વિરોધી નિવેદનબાજીમાં વધારો થયો છે, જેને પાકિસ્તાન નકારે છે. પાકિસ્તાની પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, 'અફસોસની વાત એ છે કે આ નિવેદનો પાકિસ્તાન પ્રત્યે નફરત અને ઊંડો જુસ્સો દર્શાવે છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે આ નિવેદનો જાણીજોઈને કરીને નેતાઓ ચૂંટણીલક્ષી લાભ માટે અતિ રાષ્ટ્રવાદનો લાભ લેવા માગે છે. આ નિવેદનો વધતી જતી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ટીકાઓથી ધ્યાન હટાવવાનો ભયાવહ પ્રયાસ પણ સૂચવે છે. ઝહરા બલોચે પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે પાકિસ્તાનની વ્યૂહાત્મક ક્ષમતાનો હેતુ તેની સાર્વભૌમત્વ અને તેની ક્ષેત્રીય અખંડિતતાની રક્ષા કરવાનો છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ